રાષ્ટ્રપતિ મુર્મુ સમક્ષ ગીરનાં આદિવાસીઓની ફરીયાદ
મુર્મુએ તાત્કાલિક વનમંત્રી, કલેક્ટરને પગલાં લેવા તાકીદ કરી; વહીવટી તંત્રમાં દોડધામ

મહિલાનીફરીયાદ 'રાશન ઓછું મળે છે'

મહિલાનીફરીયાદ 'રાશન ઓછું મળે છે'
ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં જંગલ સફારી બાદ જ્યારે સિંહ સદનમાં સ્થાનિક જનજાતિના લોકો સાથે સંવાદ યોજ્યો, ત્યારે એક ગંભીર અને સંવેદનશીલ મુદ્દો સામે આવ્યો. આદિવાસી સમુદાયની મહિલાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમની સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી, જેમાં મુખ્યત્વે પૂરતું રાશન અને પાયાની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ ગંભીર મામલાની તાત્કાલિક નોંધ લીધી, જેના પગલે સ્થાનિક સરકારી અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
રાષ્ટ્રપતિએ સ્ટેજ પરથી નીચે આવીને સાંભળી ફરિયાદસંવાદ કાર્યક્રમ દરમિયાન, જ્યારે આદિવાસી સમુદાયના લોકોએ પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ કરી, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની સંવેદનશીલતા દર્શાવી હતી.
રાશનનો અભાવ: એક આદિવાસી મહિલાએ રજૂઆત કરી કે તેમને પૂરતી સુવિધાઓ મળતી નથી અને રાશન પણ ઓછું મળે છે. મહિલાના કહેવા મુજબ, તેમને માત્ર 2 કિલો રાશન જ આપવામાં આવે છે.
ગુજરાન ચલાવવું મુશ્કેલ: મહિલાએ જણાવ્યું કે તેમના સમુદાયના બહુ ઓછા લોકો પાસે નોકરી છે, જેના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.
અવાજ દબાવવાનો આરોપ: સૌથી ગંભીર બાબત એ હતી કે મહિલાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે.
ફરિયાદોની ગંભીરતા પારખીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરત જ સ્ટેજ પરથી નીચે આવ્યા અને લોકોની વાત ધ્યાનથી સાંભળી હતી.
તાત્કાલિક પગલાં લેવા આદેશ અને વહીવટી તંત્રમાં હલચલઆદિવાસી મહિલાઓની ખુલ્લી અને ગંભીર ફરિયાદ સાંભળીને ત્યાં હાજર સરકારી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ આ મામલાની ગંભીર નોંધ લીધી અને તાત્કાલિક નીચેના પગલાં લેવા માટે સૂચના આપી:
વનમંત્રી અને કલેક્ટરને તાકીદ: રાષ્ટ્રપતિએ તાત્કાલિક વનમંત્રી અને કલેક્ટરને આ મામલે પગલાં લેવા માટે તાકીદ કરી હતી.
રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ: આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ ડાયરેક્ટરને આ મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન લઈ આવવા માટે પણ કહ્યું હતું.
કાર્યક્રમ બાદ વનમંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે આદિવાસી મહિલાઓએ તેમની સમક્ષ ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિ સમક્ષ ખુલ્લી રજૂઆતને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને આ આદિવાસી સમુદાયના રાશન અને સુવિધાઓના મુદ્દે ઝડપથી કાર્યવાહી થાય તેવી શક્યતા છે, જેથી ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!