વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, યોમાસુ પાક વાવણી તો થઈ પણ હવે વરસાદે વિરામ લીધો
વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સારી રહી, પરંતુ શ્રાવણ મહિનામાં વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, જ્યાં ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે, ત્યાં વરસાદની અછત વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે બેવડી મુસીબત લઈને આવી છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં પિયતની વ્યવસ્થા નથી.

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના 13 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ: અહીં સામાન્ય રીતે 24.50 ઇંચ વરસાદ વરસતો હોય છે, તેની સામે અત્યાર સુધીમાં માત્ર 14 ઇંચ વરસાદ થયો છે, જે 43% ઓછો છે.
અમરેલી: આ કૃષિ પ્રધાન જિલ્લામાં 14.50 ઇંચની સામે 12 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે, જે 20%ની ઘટ દર્શાવે છે.
જૂનાગઢ, મોરબી, રાજકોટ: આ જિલ્લાઓમાં પણ વરસાદની ખાધ નોંધાઈ છે.
અન્ય જિલ્લાઓ: અમદાવાદ, દાહોદ, દમણ, ડાંગ, ગાંધીનગર, નવસારી, પાટણ અને વડોદરા જેવા જિલ્લાઓમાં પણ વરસાદની અછત જોવા મળી રહી છે.
ચોમાસાની શરૂઆતમાં થયેલા સારા વરસાદના કારણે રાજ્યમાં 70.47 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી, જેમાં એકલા સૌરાષ્ટ્રમાં જ 36.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડૂતોને આશા હતી કે શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ મળશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હાલમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ ન હોવાના કારણે અનેક વિસ્તારો કોરા રહ્યા છે. જામનગર સહિત માત્ર પાંચ તાલુકાઓમાં હળવા ઝાપટાં પડ્યા, જ્યારે બાકીના 245 તાલુકાઓમાં વરસાદ થયો નથી. રાજકોટ જેવા શહેરોમાં તો તાપમાન 35°C સુધી પહોંચી ગયું છે, જે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો કરી રહ્યું છે.

આ પરિસ્થિતિ ખેડૂતો માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે. વરસાદના અભાવે પાકને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે પાક સુકાઈ જવાનો ભય છે. જ્યાં પિયતની વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે. સૌરાષ્ટ્રના ખેડૂતો હવે તેમના પાકને બચાવવા માટે સરકાર પાસે પિયત માટે પાણીની માંગ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.