સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ, હજારો સાડીઓ પલળી જતાં નુકસાન!
પલળેલી સાડીઓ સૂકવવા માર્કેટમાં દોરી, પંખા લગાવ્યા, કિલોના ભાવે વેચવી પડે તેવી સ્થિતિ

ખાડી પૂરથી 500 દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં એક હજાર કરોડથી વધુના નુકસાનની શક્યતા

ખાડી પૂરથી 500 દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં એક હજાર કરોડથી વધુના નુકસાનની શક્યતા
સુરતની ટેક્સટાઈલ માર્કેટ હાલમાં ધોબીઘાટ બની ગઈ છે. 10 દિવસ અગાઉ આવેલાં ખાડી પૂરના કારણે હજારો સાડીઓ પલળી જતાં વેપારીઓને પારાવાર નુકસાન થયું છે. પલળેલી સાડીઓ સૂકવવા માર્કેટમાં દોરી બાંધીને સાડીઓ લટકાવી દેવામાં આવી છે. જ્યારે દુકાનોમાં પંખા લગાવીને સાડીઓ સુકવવામાં આવી રહી છે.
સાડીઓ પલળી જવાના કારણે હવે કિલોના ભાવે વેચવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાડી પૂરથી 500 દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં એક હજાર કરોડથી વધુનું નુકસાન થયાનો વેપારીઓએ દાવો કર્યો છે.
સુરતમાં ખાડી પૂરથી ટેક્સટાઈલ વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. ખાડી પૂરના પાણી રઘુકુળ માર્કેટમાં ઘૂસી ગયા હતા. જેના કારણે રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં સાડી સહિતનો માલ સામાન પલળી ગયો હતો. તમામ સાડી અને કપડાંને દોરીઓ બાંધી પંખા વડે સુકવવામાં આવી રહી છે.
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈ કાપડ વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ સોમવારે વરસેલા ભારે વરસાદે વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. શહેરમાં પડેલાં ભારે વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી. જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગચા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને એક હજાર કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
કમેલા ગરનાળા નજીક રઘુકુળ સહિતની આજુબાજુના માર્કેટોમાં ખાડીપૂરના પાણી ભરાતા સાડીનો સ્ટોક પલળી ગયો છે. તેના કારણે વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ વેચાણ કરી શકાય માટે વેપારીએઓ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સુકવી રહ્યા છે.
રઘુકુળ માર્કેટના વેપારીએ જણાવ્યું કે, તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવી છે. ખાડીનું પાણી બેક મારતા નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. બીજી તરફ, નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું. જેમાં 500 થી વધુ દુકાનોમાં મોટાપાયે નુકસાન થયું છે.
એક બ્રોકરે જણાવ્યું કે, આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતા તેને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. જે માટે સાડીઓને સુકાવવા આવી રહી છે. દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકાવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે. 100 થી લઈને 2000 સુધીની સાડી લોટવાળાને 35થી 50 રૂપિયે કિલોના ભાવે વેચાણ કરાશે. એક કિલોમાં ફક્ત ત્રણ જેટલી સાડી આવે છે.
રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા, અનમોલ, સોમેશ્વર જેવી 8 માર્કેટમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. ખાડીપૂરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે. આ સ્ટોક મૂકવા બીજી જગ્યા નહીં હોવાથી વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. જો કે, ઈન્સ્યોરન્સ નહીં ધરાવતાં વેપારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ