બિહાર ચૂંટણી: યોગી આદિત્યનાથના RJD પર પ્રહાર
યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓ પર 'માફિયા રાજ' અને પરિવારવાદનો આરોપ લગાવ્યો

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે બિહાર ચૂંટણી માટે શહાબુદ્દીનના ગઢ સીવાનમાં એક જાહેર સભાને સંબોધી, જ્યાં તેમનું સ્વાગત 'બુલડોઝર' સાથે કરવામાં આવ્યું. તેમના 22 મિનિટના સંબોધનમાં, યોગી આદિત્યનાથે RJD અને શહાબુદ્દીન પરિવાર પર આકરા પ્રહારો કર્યા અને ચૂંટણીના રાજકીય માહોલને ગરમાવ્યો. યોગી આદિત્યનાથે RJDના રઘુનાથપુરના ઉમેદવાર ઓસામા શહાબ પર સીધો નિશાન સાધતા કહ્યું કે, શહાબુદ્દીનના પુત્ર ઓસામાનું જેવું નામ છે, તેવું જ તેનું કામ છે અને આરોપ લગાવ્યો કે, તે પોતાની ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા છે.
પ્રખ્યાત 'બુલડોઝર મોડેલ'નો ઉલ્લેખ
RJDના શાસનકાળની તુલના જંગલ રાજ સાથે કરતા યોગી આદિત્યનાથે મતદારોને ચેતવણી આપી કે, બિહારને ફરીથી જંગલ રાજની દિશામાં જવા દેવું ન જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, RJDનો આશય હવે માફિયાનો વિકાસ કરવાનો અને ફરીથી માફિયાને પાનપાવવાનું કાર્ય કરવાનો છે. પોતાના પ્રખ્યાત 'બુલડોઝર મોડેલ'નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તેમની સરકાર 'અપરાધ અને અપરાધીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ'ની નીતિ પર કામ કરે છે અને જે બાકી રહી જાય છે, તે યુપીનું બુલડોઝર પૂરું કરે છે.
આ પણ વાંચો: બિહારમાં બનશે NDAની સરકાર: ચિરાગ પાસવાન
RJD પર રામ મંદિરના રથને રોકવાનો આરોપ
યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને RJD બન્નેને ધર્મ અને રામ મંદિર મુદ્દે ઘેર્યા. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે, તે રામ તો થયા જ નથી તેવું કહેતી હતી, જ્યારે RJD પર રામ મંદિરના રથને રોકવાનું પાપ કરવાનો અને આજે પણ અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. સૌથી મોટો અને વિવાદાસ્પદ પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ કોંગ્રેસ, RJD અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોને શોભી શકે છે કે તેઓ કોઈ વ્યાવસાયિક અપરાધી અને માફિયાને ગળે લગાવીને કોઈ બાબર અને કોઈ ઔરંગઝેબની મઝાર પર જઈને સજદા કરશે. પરંતુ આ કોઈપણ સાચા ભારતીયને શોભા નથી દેતું.
ડબલ એન્જિનની સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો
યોગી આદિત્યનાથે મહાગઠબંધનના અન્ય સહયોગીઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે સમાજવાદી પાર્ટી પર ઉત્તર પ્રદેશમાં રામ ભક્તો પર ગોળીઓ ચલાવવાનો આરોપ લગાવ્યો. વધુમાં, દરૌલી સીટનો ઉલ્લેખ કરીને તેમણે માલે પર પ્રહાર કર્યા અને દેશમાંથી 'નક્સલવાદ અને માઓવાદ'ને સમાપ્ત કરવા માટે ડબલ એન્જિનની સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. યોગી આદિત્યનાથે રઘુનાથપુરથી JDU ઉમેદવાર વિકાસ સિંહના સમર્થનમાં વોટની અપીલ કરી, જેઓ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબ સામે ચૂંટણી લડી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ